
સપ્ટેમ્બર માં વારાણસીને મળશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ અને રોપવે
વારાણસીમાં ગંજારી વિસ્તારમાં બનતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ અને કૅન્ટથી ગોદૌલિયા સુધી પ્રસ્તાવિત જાહેર પરિવહન રોપવેનું નિર્માણ અંતિમ તબક્કામાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર ના અંતિમ સપ્તાહમાં આ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરી શકે છે.


